Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મનહરપુરના જીતેશભાઇ સનુરાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા .૭: જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં જીતેશભાઇ વાલજીભાઇ સનુરા (ઉ.વ.૩૪) નામના યુવાનને સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર જીતેશભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. કમળો થઇ જતાં બિમાર હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:14 pm IST)