Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

માંગરોળ દર્શાલીના શંકરાભાઇએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી

મગજની તકલીફથી કંટાળીને પગલું: રાજકોટમાં મૃત્‍યુ

રાજકોટ તા. ૭: માંગરોળ તાબેના દર્શાલી ગામે રહેતાં અને માછીમારીનું કામ કરતાં શંકરાભાઇ ભીમાભાઇ માવડીયા (ઉ.વ.૪૫)એ ઝેરી દવા પી લેતાં કેશોદ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શીલ પોલીસને જાણ કરી હતી. શંકરાભાઇને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. મગજની તકલીફને કારણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(3:13 pm IST)