Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

સરગમના જયપુર ફુટ કેમ્‍પમાં ઉદય કાનગડની હાજરી

રાજકોટઃ સરગમ કલબ અને કમાણી ફાઉન્‍ડેશનના જયપુર કેમ્‍પમાં કુલ ૯૦ દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સના દર્દી, ૪૬ અને લેગ(પગ)ના ૪૪ દર્દીઓએ વિના મૂલ્‍યે લાભ લીધેલ કેમ્‍પમાં રાજકોટ-૬૮ ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડે હાજરી આપેલ અને સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.આ કેમ્‍પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્‍દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ, કમાણી ફાઉન્‍ડેશનના કિશોરભાઇ પરમાર, જે.કે.સરાઠે, પ્રફુલભાઇ મીરાણી, સરગમ કલબના કમિટી મેમ્‍બર, સરગમ લેડીઝ કમિટી મેમ્‍બરો, કૈલાશબેન વાળા, જયશ્રીબેન વ્‍યાસ, મિતલબેન ચગ, ભાવનાબેન મહેતા, મધુરિકાબેન જાડેજા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, વૈશાલીબેન શાહ, હર્ષાબેન કથ્રેચા, માલાબેન લોઢીયા દિવ્‍યાબેન ઉમરાણીયા તેમજ કનૈયાલાલ ગજેરા, અનવરભાઇ ઠેબા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્‍પમાં રાજસ્‍થાનના ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ આગામી કેમ્‍પ તા.૧ માર્ચના ૩ દિવસ માટે યોજાશે તેમ યાદીમાં જણાવાયુ છે

 

(2:51 pm IST)