Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઉદયનગરમાં ધંધામાં મંદીના કારણે કાળુભાઇ રાજપરાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા. ૭ : મવડી રોડ પર આવેલા ઉદયનગરમાં રહેતા આધેડે ધંધામાં મંદીના કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ઉદયનગર-ર શેરી નં. ૮માં રહેતા કાળુભાઇ પોલાભાઇ રાજપરા (ઉ.વ.૪પ) એ ગઇકાલે પોતાના ઘરે છતના હુકમાં દોરી  બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો કાળુભાઇને લટકતી હાલતમાં જોઇને તાકીદે જાણ કરતા ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયા સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા કાળુભાઇનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. દિલીપસિંહ જાદવ અને રાઇટર પૃથ્વીરાજસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક કાળુભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે. પત્નીના મૃત્યુ બાદ તે પુત્રો સાથે રહેતા હતા. તે ચાની હોટલ ચલાવતા હતાં. છેલ્લા ઘણા સમયથી ધંધો બરાબર ચાલતો નહોવાથી ચાની હોટલ બંધ કર્યા બાદ છેલ્લા એક માસથી ઘરે જ રહેતા હતાં અને માનસીક તનાવના કારણે તેણે આ પગલુ હોવાનું ખૂલ્યું હતું. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ આદરી છે.

(3:45 pm IST)