Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મુંજકામાં જીંદગીથી કંટાળી ભાવનાબેન મીયાત્રાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ તા ૭ : મુંજકા ગામમાં રહેતી આહીર મહીલાએ જીંદગીથી કંટાળી ઝેરી ટીકડી પી આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મુંજકા ગામમાં રહેતા  ભાવનાબેન જેઠાભાઇ મીયાત્રા (ઉ.વ. ૪૨)  પોતાના ઘરે ઘંઉમાં નાખવાની ટીકડી પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક  ભાવનાબેન ના પતિ છુટક મજુરીકામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે, તેણે જીંદગીથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હોવાનું  પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. બારવાડીયા અને રાઇટર બ્રીજરાજસિંહેે તપાસ આદરી છે. (૩.૭)

 

(3:43 pm IST)