Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

શ્રી રામ ગૌસેવા મંડળ દ્વારા રવિવારે ૭ દિકરીઓના સમુહલગ્ન

કરીયાવરમાં ૧૧૧ વસ્તુઓ, દરેકને ૧-૧ લાખની વિમા પોલીસી

રાજકોટ, તા. ૭ : શ્રી રામ ગૌસેવા મંડળ દ્વારા આગામી તા.૧૦ના રવિવારે સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાત નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.

શ્રી રામ ગૌસેવા મંડળ, રાજકોટ દ્વારા આયોજીત સાત દિકરીના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં શ્રી નિમાવત મનોજ મારાજ (ત્રંબાવાળા), સૂરજકુમાર પંડ્યા, જાગૃતિબેન વિરાસ, હસમુખભાઈ રામવત (મીઠાપુરવાળા), જયંતિભાઈ પુનાભાઈ પરમાર (મેધમાયા માનવ કલ્યાણ ટ્રસ્ટ, ગામઃ વાળધરી) અર્ચનાબેન અમરશીભાઇ હિંગડા, જગદીશભાઇ બેચરભાઇ કવૈયા (ચીભડાવાળા) મહેશભાઇ બેચરભાઇ કવૈયા, વજુભાઇ લોઢીયાના સહયોગથી આયોજીત સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવર રૂપે નાની મોટી ૧૧૧ વસ્તુઓ આપવામાં આવશે. તા.૧૦ને રવિવારે  નિલકંઠ પાર્ક ગ્રાઉન્ડ, દેવપરા જુની શાક માર્કેટ મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાશે.

 સ્વ. મનસુખલાલ મનહરલાલ પરમાર (ગોંડલવાળા)ના સ્મરાણર્થે પરમાર રાજુભાઇ તેમજ મનિષભાઇ, દાતા અનીલભાઇ ખીમજીભાઇ માધળ (ગોંડલ નગરપાલીકા સદસ્ય), બી.સી.વાળા (એડવોકેટ- ગોંડલ), ખીમજીભાઇ કલાભાઇ મકવાણા (ઉદ્યોગપતિ-ગુદાળા), તુલસીભાઇ વી. મકવાણા,  સીતારામ મંડપવાળા જયંતિભાઇ શંકરભાઇ રામાવત, સાહિત્ય કલાકાર જયોતિદાન ગઢવી, શ્રી નિમાવત મનોજ મારાજ (ત્રંબાવાળા) નિમાવત મનોજભાઇ (૮૧૨૮૧ ૯૩૩૦૦), સુરજકુમાર પંડયા (૮૧૪૦૪ ૫૬૨૦૮), જયંતિભાઇ પરમાર (૯૭૨૫૬ ૫૨૬૩૦) જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૧૦)

(3:31 pm IST)