Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મહેસુલ ખાતાનો ખાસ પરિપત્રઃ કલેકટર સહિત તમામ માટે લોકો કે અન્યો સાથે પત્ર વ્યવહાર કરવામાં ઇ-મેઇલ એડ્રેસ ફરજીયાત

પત્ર વ્યવહારમાં ''વતી''(FOR) કરી સહી કરવાની પધ્ધતિ કાઢી નાખાઇઃ રાજયપાલના આદેશબાદ મહેસુલ ખાતાની સુચના : ડીજીટલ યુગમાં વતી-બતી ન ચાલે, કલેકટરની મંજૂરીની આવશ્યકતામાં સહી અથવા કલેકટરની સહી છે તેવું સ્પષ્ટ ઉલ્લેખ કરવા પણ આદેશો

રાજકોટ તા.૭ : મહેસુલ વિભાગ હેઠળની કલેકટર કચેરીઓ તેમજ તાબાની કચેરીઓ દ્વારા તરફથી સચિવાલયના વિવિધ વિભાગો, લોકપ્રતિનિધિઓ અને પ્રજાજનો સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે. તેમાં જે તે કચેરીનું નામ, સરનામું અને તારીખ વિગેરે, દર્શાવવામાં આવે છે. પરંતુ જે તે શાખા કે સંબંધિત અધિકારીનો ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેર્સ વિગેરે દર્શાવવામાં આવતા નથી. પરિણામે સચિવાલયના વહીવટી વિભાગો, લોક પ્રતિનિધિઓ અને પ્રજાજનોને તેમનો સંપર્ક કરવામાં મુશ્કેલી અનુભવાય છે. ઘણી વખત કલેકટરર વતી કે તાબાના અધિકારીઓ વતી અવાચ્ય સહી કરી પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે.ે આવા પત્રવ્યવહારોમાં ''વતી'' (FOR) કરી સહી કરવાની પધ્ધતિ ઇચ્છનીય નથી. આમ થવાથી જરૂર જણાયે સહી કરનારની ઓળખ પ્રસ્થાપિત કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસની સાથે તથા ડીજીટલ ઇન્ડિયાના અમલના હેતુથી  મહેસુલ વિભાગની તમામ ક્ષેત્રીય કચેરીઓમાં GSWAN ની ટેકનોલોજીકલ માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવેલ છે સરકારએ તમામ ભરતી/ બઢતીઓમાં CCC/CCC+ ની લાયકાત અનિવાર્ય બનાવેલ છે. આથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો લાભ જાહેર જનતાને મળી રહે તે માટે તેનો મહત્તમ ઉપયોગ થાય અને વહીવટમાં પારદર્શકતા આવે તે જરૂરી છે. ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમના પ્રોએકટીવ ડીસકલોઝરમાં પણ સંબંધિત અધિકારીના નામ, કચેરીનો ફોન નંબર, ઇ-મેઇલ એડ્રેર્સ વિગેરે દર્શાવવાના રહેે છે.

સરકારે આ બાબતે ત્રણ મહત્વની સુચનાઓ જાહેર કરી છે. પરીપત્ર ઉતાર્યો છે.

કલેકટર કચેરીઓ તેમજ તાબાની કચેરીઓ દ્વારા તરફથી સચિવાલયના વિભાગો તેમજ લોક પ્રતિનિધિઓ અને પ્રજાજનો સાથેના પત્રવ્યવહાર/હુકમો વિગેરેમાં સહી કરનાર અધિકારીનુ નામ/ કચેરી/ શાખાનું પુરૂ સરનામું, કચેરીનો લેન્ડલાઇન ટેલીફોન નંબર, ઇ-મેઇલ એડ્રેર્સ વિગેરે ખાસ દર્શાવવાના રહેશે.

કોઇપણ સંજોગોમાં કોઇ અધિકારી વતી અવાચ્ય સહી કરી પત્ર વ્યવહાર કરવાનું વલણ ટાળવાનું રહેશે. જે કાર્યવાહીમાં કલેકટરની મંજુરીની આવશ્યકતા હોય ત્યાં કલેકટરની સહીથી અથવા ''નોંધ પર કલેકટરશ્રીની સહી છે.'' તેવા સ્પષ્ટ ઉલ્લેખ સાથે નિવાસી અધિક કલેકટર કે અન્ય અધિકૃત અધિકારીની ફકરા-૧ની સુચનાનું ચુસ્તપણે પાલન કરીને પત્ર વ્યવહાર કરવાનો રહેશે આ પરીપત્ર રાજયપાલના હુકમથી જાહેર કરાયો છે.

(3:56 pm IST)