Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ઘાણીનું મગફળીનું તેલ રૂ.૧૪૦નું લીટર

અજમાનું મધ : ઓર્ગેનિક આદુ : ઓર્ગેનિક દાડમ : જવારાનો પાઉડર : પાડેલા પપૈયા વગેરે રાહતદરે મળશે

રાજકોટ, તા. ૭ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા અજમાનું મધ, દેશી ઘાણાનું સીંગતેલ, વજન ઘટાડવા માટે આયુર્વદીક દવા, સુર્યમુખીના અને સરગવાના બીજ, લીલી ચાના રોપા, ઝાડ ઉપર પાકેલ પોપૈયા, ઓર્ગેનિક દેશી ગોળ, લીલા નાળીયેર, બીજોરાનું સરબત રાહત દરે વિતરણ .

દેશી ગાયનું ઘી ૧-કિલોના રૂ. ૮૦૦/,

વિવિધ જાતના લોખંડના વાણસો મળશે,

વિવિધ જાતના ફળો રાહત દરે મળશે.

વિવિધ જાતના શાકભાજી ખેડૂતો સીધા વેચવા આવશે.

વિવિધ જાતના ફુલછોડનું રાહત દરે વિતરણ

ઓર્ગેનિક મગ-૧ કિલોના રૂ.૮૦/-

વિવિધ જાતના શાકભાજીના બીયારણ પેકેટ-રૂ.પ/- રાહત દરે લીંબડા સાબુ, આદુ-૧-કિલોના રૂ. ૬૦/-

દેશી મુખવાસ, પાપડ, ખાજલી, લીલા નાળિયેર કિંમત રૂ. ર૦/- પુઠાના ચકલી ઘર-ચકલી ઘર રૂ. ૧૦/-, લીલા નાળીયેરનો હલવો પ૦૦ ગ્રામના રૂ.૧૩૦/-, સરગવાના પાંદડાનો પાવડર ૧-પેકેટ રૂ. ર૦, બીજોરાનું ગરબત રૂ. ૧૦/-, લીલી હળવદર

સુર્યમુખીના બીજ :- સુર્યમુખી કોઇપણ ઋતુમાં અને કોઇપણ જમીનમાં વાવી શકાય છે. તેના ફુલ લાંબો સમય સુધી ટકે છે અને મધમાખીઓને પુષ્કળ મધ મળી રહે છે. સુર્યમુખીના પાકલ બીજમાંથી સરસ ખુવાસ બને છે. દરેક વાડીએ, ફળીયામાં, સ્કૂલ કોલેજોના મેદાનમાં અને કુંડામાં વવાય તે માટે સૌરાષ્ટ્ર વ્યાપી આજ ઝુંબેશમાં જોડાય. સુર્યમુખી વાવો તેવી વિનંતી. એક પેકેટના રૂ. ૧૦/-.

સરગવાના બીજ : તંદુરસ્ત દેશી સરગવામાંથી બીજ ભેગા કરી એક પેકેટના રૂ. ૧૦/- લેખે વેચાણ શરૂ છે. દરેક વાડીએ સરગવા વવાય તે માટેની આ ઝુંબેશમાં જોડાય શકય હોય તેટલા સરગવા વાવશો તેવી આશા સાથે.

લીલી ચાના રોપ :- પોલીથીન બેગમાં તૈયાર કરેલ આ રોપા એક ટોપાના રૂ. ર૦/- લેખે વેચાણ થવાનું છે. પોપૈયાઃ- ઝાડ ઉપર પાકેલ આ પોપૈયા ખેડુત સીધા વેચવા આવે છે. એક મિલોના રૂ. ર૦/-લેખે વેચાણ છે.

ઓર્ગેનીક દાડમ :- કાલાવડ તાલુકાના ખેડુતોએ પોતાના ખેતરમાં ઓર્ગેનિક દાડમની ખેતી કરે છે તે ખેડૂત સીધુ વેચાણ કરવા અહીં આવે છે.

આદુઃ- આદુનું સેવન કરવાથી કફ અને પીતમાં ખૂબજ ફાયદો થાય છે. પાચન ક્રિયા સુધરે છે. સ્થુળતા, જાડાપણુ અને મેદ ઘટાડે છે. હૃદયને ફાયદો કરે છે. ફેફસામાં કફના ઝાડા તોડે છે. વધુ પ્રમાણમાં પેશાબ લાગે છે. છાતીમાંથી શરદી કાઢે, આમવાત (એસીડીટી) સોજા મટાડે છે. લોકો વધુમાં આદુનો વપરાશ કરતા થાય એવા પ્રયત્નો સતત અમારા તરફથી કરવામાં આવે છે. આપ પણ આદુનો પ્રચાર કરી સેવા કરી શકાય.

ઓર્ગેનિક દેશી ગોળઃ- ગીરની પ્રખ્યાત શેરડીનો દેશી બનાવટનો કોઇપણ જાતની દવા નાખ્યા વિનાનો ગોળ-૧-કિલોના રૂ. પપ લેખે પ્લાસ્ટીકની ડબ્બીમાં ૪ કિલો ગોળ રૂ. રર૦/-માં વેચાણ છે.

અગરબત્તીઓ- ઘરબેઠા રોજગારીઓનું નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબત્તીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબત્તીઓ લઇ આડકતરીરીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

દેશી અથાણા :- હાથ બનાવટના કેમીકલ વગરના દેશી અથાણાઓ જેવા કે કૈડા, કેરી, ગુંદા વિગેરે મળશે.

દેશી ગાયનું ઘીઃ- વિધવા બહેનો પગભર થાય તે માટે દેશી ગાયો રાખી તેનું ઘી અને છાશ બનાવી અહીં વ્યાજબી દરે વેચાણ માટે આવે છે. તો આપણે તેને પગભર કરવા માટે ગાયનું ઘી અને છાશનો ઉપયોગ કરી તેને મદદરૂપ થઇએ.

ફુલછોડ :- કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ (૧પ-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપ અને મોગરો, મયુરપંખા, રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, કોટોન આમ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતી અડધી કિમતે મળશે.

એલોવેરા જેલઃ એલોવેરા જયુસ સપ્તચૂર્ણ રાહતદરે મળશે.

લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ,

અજમાનું મધ (પ્રવાહી સોનું) :- અહીં માત્ર રૂ. ર૪૦/-ના કિલોના હિસાબે વેચાણ થવાનું છે. આ મધના સેવનથી વજન ઘટે છે, લીવર-કિડનીને ફાયદો કરે છે. ચરબી ઓછી કરે છે. કબજીયાત દૂર થાય છે.

હાથલા થોરના ફળમાંથી સરબતની બોટલો બજારમાં રૂ. ર૦૦/- ની મે છે અને અંદર કેમીકલ નાખેલુ હોય છે. જયારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી, પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦/-માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

સ્થળ : - સિસ્ટર નિવેદિતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર), ૩-બાલમુકુન્દ પ્લોટસ, ફાયર બ્રિગેડથી થોડે દૂર, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ

તા. ૧૧-ર-ર૦૧૮ (દર રવિવાર-રાજકોટ), સમય સવારે ૯થી ૧:૩૦ તથા સ્થળ : - સ્વ. મનસુખભાઇ વોરા, બોલબાલા સ્મૃતિ ભવન, બાપુની વાડી મેઇન રોડ, જેતપુર.

તા. ૧૧-ર-ર૦૧૮, રવિવાર, સમય માટે ૯-૦૦ થી ૩ સુધી, કાર્યક્રમ યોજો. વધારે વિગતો માટે વી.ડી. બાલા, મો. ૯૪ર૭પ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.(૮.૧ર)

(3:37 pm IST)