Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

અમદાવાદ હાઇવે ઉપર ભરવાડ યુવાનની હત્યાના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૭: રાજકોટ અમદાવાદ બાયપાસ હાઇવે ઉપર સુર્યદેવ હોટલમાં તા. ૮-૮-ર૦ર૦ના રોજ દીનેશભાઇ હીરાભાઇ ફાંગલીયા નામના ભરવાડ યુવાનની હત્યા થયેલ અને આ ગુન્હામાં રાહુલ રાયધનભાઇ હુંબલના સેશન્સ કોર્ટે જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત જોવામાં આવે તો તા. ૮-૮-ર૦ર૦ના રોજ રાજકોટ બાયપાસ ઉપર આવેલ સુર્યદેવ હોટલમાં દિનેશભાઇ હીરાભાઇ ફાંગલીયા ને આ કામના આરોપી રાહુલ રાયધનભાઇ હુંબલ તથા બીજા આરોપીઓ સાથે સૌપરથમ માર્કેટયાર્ડ પાસે ઝગડો થયેલ ત્યારબાદ સુર્યદેવ હોટલમાં મારા મારી થયેલ જે મારા મારીમાં દિનેશભાઇને ગંભીર ઇજા થતા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ થયેલ પોલીસે આ ગુન્હામાં રાહુલ રાધયનભાઇ હુંબલ તથા અન્ય આરોપીઓની ધરપકડ કરેલ અને આરોપી રાહુલે તેમના એડવોકેટ રઘુવીર આર. બસીયા મારફત જામીન અરજી કરેલ જેમાં તેમણે સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના જામીન સંબંધેના ચુકાદાઓ તથા તેના પ્રસ્થાપિત થયેલ માર્ગદર્શક સિદ્ધાંતોની વિસ્તૃત છણાવટ કરેલ તેમજ આરોપીનો ગુન્હામાં રોલ તેમજ ગુજરનારને થયેલ ઇજાઓ સંબંધે વિસ્તૃત દલીલો કરેલ જે દલીલોને ગ્રાહય રાખી સેશન્સ કોર્ટે રાહુલ રાયધનભાઇના જામીન મંજુર કરવાનો હુકમ કરેલ આ કામમાં રાહુલ રાયધનભાઇ હુંબલ વતી એડવોકેટ રઘુવીર આર. બસીયા રોકાયેલ હતાં.

(3:06 pm IST)