Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

રાજકોટના કાળીપાટ 'ડબલ મર્ડર'ના ગુનામાં આરોપીની વચગાળાની જામીન અરજી રદ્દ

આરોપીએ પુત્રની સારવાર માટે માનવતાની અરજી કરી હતી

રાજકોટ તા. ૭ : રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીંગાણામાં થયેલા ડબલ મર્ડર કેસમાં એક આરોપીએ પુત્રની સારવાર માટે માંગેલા માનવતાના જામીન અદાલતે ફગાવી દીધા છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦ ૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાપો હતો.

તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિધ્ધસિંહ જાડેજાએ છગન રઘા દુધરેજીયા, રઘા દુધરેજીયા, સુરેશ રઘા દુધરેજીયા, દિનેશ રઘા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા. છગન રઘા દુધરેજીયા પુત્રની સારવાર માટે વચગાળાના જામીન અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલ પ્રજસિંહ અને એપીપી અનિલભાઇ દેશાઇએ કરેલી દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે. જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશન જજ આર. એલ. ઠકકર એ છગન દુધરેજીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

(11:45 am IST)