Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મકરસંક્રાંતિ શાસ્ત્રોકત દ્રષ્ટિએ ૧પમીએ, સરકારી કચેરીઓમાં રજા ૧૪મીએ જ

રાજકોટ, તા. ૭ : રાજયમાં મકરસંક્રાંતિની રજા રાબેતા મુજબ તા. ૧૪ જાન્યુઆરીએ મંગળવારે યથાવત રાખવાનું સરકારે નક્કી કર્યુ છે.

સામાન્ય રીતે દર વર્ષની ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવે છે આ વખતે શાસ્ત્રોત દૃષ્ટિએ આ તહેવાર ૧પ જાન્યુઆરી બુધવારે આવે છે. રાજય સરકારે અગાઉ જાહેર કર્યા મુજબ ૧૪મીની રજા યથાવત રાખી છે. રજાના દિવસમાં ફેરફારની હજુ સુધી કોઇ વિચારણા ન હોવાનું સરકારના સુત્રો જણાવે છે. જો આમ થશે તો અમદાવાદ જેવા શહેરોમાં મકરસંક્રાંતિનો માહોલ બે દિવસ રહે તેવી સંભાવના છે.

(4:07 pm IST)