Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

મેહુલભાઇ ટાંક, સુનિલભાઇ મકવાણા અને દેવજીભાઇ શિહોરાના બેભાન હાલતમાં મોત

આનંદનગર, દાસી જીવણપરા અને સાગરનગરના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૭: બેભાન હાલતમાં બે વ્યકિતએ દમ તોડી દીધો હતો. કોઠારીયા રોડ આનંદનગર કોલોની ઓમ વિદ્યાલય પાસે રહેતાં મેહુલભાઇ રાજેશભાઇ ટાંક (ઉ.વ.૩૬)ને શ્વાસની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક બે બહેનના એક જ ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગર પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં નાના મવા દાસી જીવણપરા-૩માં રહેતાં સુનિલભાઇ અરજણભાઇ મકવાણા (ઉ.વ.૫૫)ને ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. માલવીયાનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. 

ત્રીજા બનાવમાં જુના માર્કેટ યાર્ડ પાસે સાગરનગર-૪/૫માં રહેતાં અને પ્લમ્બીંગ કામ કરી ગુજરાન ચલાવતાં દેવજીભાઇ છગનભાઇ શિહોરા (ઉ.વ.૫૫)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમણે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃતકને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:19 pm IST)