Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વિદ્યુતનગરમાં આશીદભાઇ પરમારનું શંકાસ્‍પદ મોત

પ્રૌઢના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ આદર

રાજકોટ, તા.૬: નાના મવા રોડ પર આવેલા વિદ્યુતગનરમાં રહેતા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત નિપજતા માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ નાના મવા રોડ પર વિદ્યુતનગર શેરી નં.૧ બ્‍લોક નં.૩(અ)માં રહેતા આશીદભાઇ ઇસ્‍માઇલભાઇ પરમાર (ઉ.વ.૫૩) ગઇકાલે પોતાના ઘરે હતા. પરિવારજનો ઘરે આવતા પ્રૌઢને બેભાન હાલતમાં પડેલા જોઇ તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસે હોસ્‍પિટલે પહોંચી પ્રૌઢના મૃત્‍યુનું કારણ જાણવા પ્રૌઢના મૃતદેહને ફોરેન્‍સીક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)