Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નરેશભાઇનું સન્માનઃ ખોડલધામના સભ્યોને ખેંસ પહેરાવાય

રાજકોટઃ શ્રી નરેશભાઇ પટેલ રાજકારણમાં પ્રવેશી રહયાની ચર્ચાએ જોર પકડયું છે. શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિ- રાજકોટ દ્વારા  ગઇકાલે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. આ તકે શ્રી નરેશભાઈનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર ૪, ૫ અને ૬ની વિવિધ શ્રી ખોડલધામ સમિતિઓ, સામાજિક સંગઠનો, સોસાયટીઓ અને એસોસિએશન દ્વારા  નરેશભાઈનું સન્માન કરાયું હતું. તેઓએ રાજકોટ શહેરના તમામ વોર્ડના કન્વીનરો, સહકન્વીનરો અને સલાહકાર સમિતિના સભ્યોને ખોડલધામનો ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા.

(3:43 pm IST)