Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

૨૦મીએ કારડીયા રાજપુત સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ચોપડા વિતરણ

કશ્યપસિંહ સોલંકીના સ્મરણાર્થે શિવ ભવાની મહિલા ટ્રસ્ટ દ્વારા

રાજકોટઃ તા.૬, શિવ ભવાની મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. કશ્યપસિંહ જોરસિંહ સોલંકીના સ્મરણાર્થે કારડીયા રાજપુત વિદ્યાર્થીઓને વિનામુલ્યે કુલ  પાંચ હજાર ચોપડા વિતરણ કરવાનું તા.૨૦ને સોમવારના રોજ સાંજે ૪ કલાકે કારડીયા રાજપુત સમાજની વાડી, મવડી ચોકડી ખાતે રાખેલ છે.

આ વિતરણમાં લાભ લેવા માંગતા કારડીયા રાજપુત વિદ્યાર્થીઓ પોતાના માર્કશીટની ઝેરોક્ષ લઇ કારડીયા રાજપુત સમાજની વાડીએથી તા.૬ થી ૧૬ સુધીમાં પોતાના ફોર્મ ભરાવી લેવા, ફોર્મ લેવાનો સમય સાંજે ૪ થી ૮ શોભનાબેન ચૌહાણ પાસેથી કલેકટ કરી લેવો.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિવભવાની ચેરીટેબલ ટ્રસ્ટનાં શ્રી શોભનાબેન ચૌહાણ, નયનાબેન ગોહેલ, દિવ્યાબેન ચૌહાણ, ચેતનાબેન ભટ્ટ, ઉર્મીલાબેન ડોડીયા, ભાવનાબેન વાઘેલા, નિતાબેન નકુમ, મીતલબેન પરમાર, ભાનુબેન વાઘેલા, પ્રીતીબેન ડોડીયા, ચેતનાબેન દેવડા, કંચનબેન નકુમ સહિતના જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:12 pm IST)