Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મ.ન.પા. દ્વારા સોરઠીયાવાડી સર્કલ ખાતેના ગાર્ડનમાં આવેલ પ્રતિમાની સફાઇ - સ્વચ્છતા જાગૃતી કાર્યક્રમ યોજાયો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લગત દૈનિક કામગીરીની સાથે-સાથે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને પ્રત્યેક નાગરિક સ્વચ્છતા જુંબેશમાં સહભાગી બને તેવા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજરોજ સોરઠીયા વાડી સર્કલ ખાતેના ગાર્ડન સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાની સફાઈ તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૨ સબબના સિટીઝન ફીડબેક અંગેની જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક તથા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૨ના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર એવા જયેશભાઈ ઉપાધ્યાય અને તેના ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મદદનીશ પર્યાવરણ ઈજનેર વિરલભાઈ ચાવડા, સેનિટેશન ઓફિસર શ્રી ગોંડલીયા, વોર્ડના એસ. આઈ., એસ.એસ. આઈ. તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરીકો ઉપસ્થિત રહેલ.

(2:50 pm IST)