Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પંચવટી રોડ અતિથી ચોકમાં વરસાદ-ઠંડીને કારણે અજાણ્યા પ્રૌઢનું મોત

મૃતક વિકલાંગ અને ભીક્ષુક જેવાઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૬: પંચવટી મેઇન રોડ પર અતિથિ ચોક પાસે અજાણ્યા આશરે ૪૮ થી ૫૦ વર્ષના પ્રૌઢ બેભાબન પડ્યા હોઇ ૧૦૮ને જાણ થતાં ઇએમટી ચિરાગ પરમારે તપાસ કરી તેને મૃત જાહેર કરતાં માલવીયાનગરના પી.એસ.આઇ. એ.આર. મલિકે જરૂરી કાર્યવાહી કરી હતી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસના કહેવા મુજબ મૃતક વિકલાંગ છે અને ભીક્ષુક જેવા દેખાય છે. વરસાદ અને ઠંડીમાં આવી જવાથી મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ છે. તસ્વીરમાં દેખાતા આ પ્રૌઢના કોઇ વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસ મથકનો ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવો. પી.એસ.આઇ. એ.આર. મલેક તથા અરૂણભાઇ ચાવડા વધુ તપાસ કરે છે. (૧૪.૫)

 

 

(12:06 pm IST)