Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મનપામાં વધુ ત્રણ ઇજનેરોના રાજીનામા

૧ એ.ટી.પી. અને ર એડીશ્નલ આસી. ઇજનેરોનાં વી.આર.એસ. મંજુર

રાજકોટ તા. ૬: મ.ન.પા.ની ફરજથી કંટાળીને અગાઉ અનેક ઇજનેરોએ નિવૃતી પહેલાજ રાજીનામાં મુકી નોકરી છોડયાના અનેક કિસ્સાઓ નોંધાયા છે ત્યારે તેમાં વધુ ૩ ઇજનેરોનો વધારો થયો છે.

જાણવા મળ્યા મુજબ છેલ્લાં એક-બે મહીના દરમિયાન ત્રણ-ત્રણ ઇજનેરોએ સ્વૈચ્છીક નિવૃતી લઇ લીધી છે.

જેમાં આસીસ્ટન ટાઉન પ્લાનર આર. ડી. પ્રજાપતી ત્થા ઓડીશ્નલ આસી. ઇજનેર હર્ષદ જીવાણી ત્થા મિતેષ જોષી આ ત્રણેય ઇજનેરોનાં વી.આર.એસ. મંજુર થઇ ગયા છે.

જાણવા મળ્યા મુજબ હજુ અનેક અધિકારીઓનાં રાજીનામાં પેન્ડીંગ છે.

આમ મ.ન.પા.ની કામગીરીથી કંટાળીને એક-પછી એક અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે. જે વહીવટીતંત્ર માટે વિચારવા લાયક બાબત છે.

(3:11 pm IST)