Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શનિવારે વિજયભાઇના હસ્તે વિવિધ પ્રોજેકટનું ખાતમુહુર્ત : સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૯ ના શનિવારના રોજ સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર ડેવલપમેન્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ તથા આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અન્ડરબ્રિજ ઉપરાંત રાજકોટ શહેરી આવાસોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનાર છે. જે અનુસંધાને આજરોજ સ્થળ મુલાકાત લેતા કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજઅગ્રવાલ, ડી.સી.પી. જાડેજા, રેસીડન્સ કલેકટર પરિમલ પંડયા, ડી.આર.એમ. પરમેશ્વર ફંકવાલ, રાજકોટ મહાનગરપાલીકાના શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, બાંધકામ સમિતી ચેરમેન મનીષભાઇ રાડીયા, ડપ્યુટી કમિશનર એ.કે. સિંહ, ગણાત્રા સાહેબ, સી.કે. નંદાણી, તેમજ સંબધક અધિકારીઓ ઉપસ્થિત રહેલ, તેઓઅ ે તમામ સ્થળની મુલાકાત લીધેલ અને કાર્યક્રમ સંદર્ભે જરૂરી ચર્ચા કરેલ.

(3:49 pm IST)