Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ગિરનારની લીલી પરિક્રમા માટે ૬૦ બસો દોડાવાશે

પાંચ દિવસ રાઉન્ડ ધ ક્લોક બસ દોડાવશે

રાજકોટ : ગરવા ગીરનારના ખોળામાં યોજાતી લીલી પરિક્રમા કરવા દેશ-વિદેશી ભાવિકો આવતા હોય છે. આ ભાવિકોના ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ એસટી ડિવિઝન દ્વારા  આગામી ૮મી નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધી એટલે કે, ૫ દિવસ સુધી રાજકોટથી જૂનાગઢ ૬૦ જેટલી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવશે.

તા.૮ને શુક્રવારથી રાજકોટથી જૂનાગઢ ગિરનાર પરિક્રમે માટે અલગ જ વ્યવસ કરવામાં આવશે. જ્યાં એકસ્ટ્રા ફાળવેલી ૬૦ જેટલી બસ રાઉન્ડ ધી કલોક દોડશે. રાજકોટ ઉપરાંત ગોંડલથી પણ લીલી પરિક્રમા માટે ૨૦ જેટલી બસો મુકાશે જે નોન સ્ટોપ જૂનાગઢ જશે.

પાંચ દિવસ સુધી રાજકોટ એસટી ડીવીઝનમાં લીલી પરિક્રમા કરનારાઓનો ખાસ ધસારો જોવા મળશે. જેને લઈ ૬૦ જેટલી મોટી બસ રાજકોટથી સીધી જૂનાગઢ સુધી દોડાવવામાં આવશે. લોકોને સરળ પરિવહન સાથે સુવિધા મળી રહે તે માટે પાંચ દિવસ એકસ્ટ્રા બસો રાજકોટથી જૂનાગઢ વચ્ચે ફેરા કરશે. આ ૬૦ જેટલી એકસ્ટ્રા બસોને લીધે એસટી ડિવિઝનની પણ આવકમાં વધારો થશે.

(1:39 pm IST)