Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

તન્ના પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

૧૬મીથી પ્રારંભ- રરમીએ વિરામ : વ્યાસાસને શાસ્ત્રી આસ્તિકભાઇ શંકરભાઇ જોશી-મોન્ટુ મહારાજ

રાજકોટ, તા. પ : ચંદ્રકાન્તભાઇ બચુલાલ તન્ના પરિવાર દ્વારા હરિહર સોસાયટી કોમ્યુનીટી હોલ, હરિહર સોસાયટી શેરી નં. ૩, આશુતોષ મહાદેવ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા. ૧૬-૧૧-૧૮થી તા. રર-૧૧-૧૮ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી માતુશ્રી ગોૈ.વા. રળીયાતબેન બચુભાઇ તન્ના તથા ગૌ.વ.ા હેમકુંવરબેન કલ્યાણજીભાઇ તન્નાના મોક્ષાર્થે યોજાએલ કથાનું રસપાન પ.પૂ. શાસ્ત્રીજી આસ્તિકભાઇ શંકરભાઇ જોષી-મોન્ટુ મહારાજ અને સાથી કલાકારો સંગીતમય શૈલીમાં કરાવશે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો તા. ૧૬ ને શુક્રવારે સવારે ૧૦:૧પ વાગ્યે પોથીયાત્રા સાથે થશે. ત્યારબાદ સવારે ૧૧:૩પ વાગ્યે શ્રી મહાત્મય તથા બપોરે ૩:૩પ વાગ્યે શ્રી ભાગવતજીનો પ્રારંભ થશે. સાંજે ૬ વાગ્યે શ્રી કપિલ જન્મ પ્રસંગ ઉજવાશે.

તા. ૧૭ ને શનિવારે સાંજે ૪:૧પ વાગ્યે શ્રી શિવજી ચરિત્ર, તા. ૧૮ને રવિવારે સાંજે ૬ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય, તા. ૧૯ને સોમવારે સવારે ૧૦ વાગ્યે શ્રી વામનજન્મ, બપોરે ૧ર વાગ્યે શ્રી રામજન્મ, સાંજે પઃ૪પ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ-નંદ મહોત્સવ ધામધુમથી ઉજવાશે.

તા. ર૦ને મંગળવારે સાંજે પ વાગ્યે શ્રી ગોવર્ધન લીલા-છપ્પનભોગ, તા. ર૧ને બુધવારે સાંજે ૪ વાગ્યે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, તા. રરને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે શ્રી સુદામા ચરિત્ર તથા તા. રરને ગુરૂવારે સાંજે ૭:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગોૈ.વા. બચુલાલ ગોવાભાઇ તન્ના, ગૌ.વા. રળિયાતબેન બચુલાલ તન્ના, ગૌ.વા. કલ્યાણજી બચુલાલ તન્ના, ગૌ.વા. હેમકુંવરબેન કલ્યાણજીભાઇ તન્ના સહિત તન્ના પરિવારના સમસ્ત પિતૃઓની સનાતન સુવાસ સતત આર્શિવાદરૂપે વરસી રહી છે અને પિતૃદેવોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહના મહા મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. 

ભાવિકોને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા મુખ્ય યજમાન અ.સૌ. સરોજબેન ચંદ્રકાન્તભાઇ તન્ના, ચંદ્રકાન્તભાઇ બચુલાલ તન્ના, અ.સૌ. સ્નેહાબેન વિશાલભાઇ તન્ના, વિશાલભાઇ ચંદ્રકાન્તભાઇ તન્ના, અ.સૌ. સીમાબેન લંકેશભાઇ તન્ના, પીંકેશભાઇ ચન્દ્રકાન્તભાઇ તન્ના, કુબેર, મેધવન, વ્યાના, અ.સૌ. માધવીબેન મૌલિકભાઇ કોટક, મૌલિકભાઇ દિલીપભાઇ કોટક, વિહા, મિથિલ તથા સમસ્ત બચુલાલ ગૌવાભાઇ તન્ના પરિવારે આમંત્રણ પાઠવ્યું છે. (૮.૧૪)

શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ

રાજકોટ, તા. પ : શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અંતર્ગત તા. ૧૭ ને શનિવારે રાત્રીના ૯થી ૧ર દરમિયાન પુષ્ટીભકિત માર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજી ભગવાનના આઠ સ્વરૂપ દર્શનની ઝાંખી. આજ ગાવત મન મેરો શ્રીનાથજી-શ્રી નાથજીની ઝાંખી કાર્યક્રમ યોજાશે.

પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સીટીની સામે રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજુ ભટ્ટ-નિરૂ દવે અને સાથી કલાકારો (જુનાગઢ), શ્રીનાથજીની ઝાંખી રજુ કરશે.

લાભ લેવા ચંદ્રકાન્તભાઇ બચુલાલ તન્ના મો. ૭૭૭૯૦ ૯૯૦૯૯, મો. ૯૩૭પ૬ ૭રપપપ) દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(11:42 am IST)