Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

બેભાન હાલતમાં નિવૃત પીએસઆઇ સહિત બે વ્‍યક્‍તિએ દમ તોડયો

ગાયત્રીનગરના પી. બી. ગોહિલ અને ગંજીવાડાના રાજુભાઇ બાવળીયાના મોતથી પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૬: બેભાન હાલતમાં એસઆરપીના નિવૃત પીએસઆઇ સહિત બે વ્‍યક્‍તિના મૃત્‍યુ થયા હતાં.

જામનગર રોડ વ્‍હોરા સોસાયટી પાસે ગાયત્રીનગર-૧માં રહેતાં એસઆરપીના નિવૃત પીએસઆઇ પ્રવિણસિંહ ભવાનસિંહ ગોહિલ (ઉ.વ.૬૯) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ૨૦૧૧માં નિવૃત થયા હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.  ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.બીજા બનાવમાં ગંજીવાડા મહાકાળી ચોકમાં રહેતાં રાજુભાઇ કુંવરજીભાઇ બાવળીયા (ઉ.૪૨)ને બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. તેઓ બંગડીના કારખાનામાં કામ કરતાં હતાં. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(4:29 pm IST)