Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વેદિ પ્રતિષ્‍ઠાનના ત્રિ-દિવસીય આયોજનની રવિવારે પત્રીકા લેખન

શ્રી કુંદ-કુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્‍ટ દ્વારા

રાજકોટ તા. ૬ :.. સ્‍વાનુભૂતિ તીર્થ સોનગઢ (જિલ્લા-ભાવનગર) ના આધ્‍યાત્‍મીક સંતશ્રી પૂજય ગુરૂદેવ ‘કાનજી સ્‍વામી' અને પ્રશમ મૂર્તિ બહેન શ્રી ચંપાબેનના શુભ આશીષ તેમજ તેઓના ઉભયે બતાવેલ માર્ગ અનુસાર કાર્યરત શ્રી કુંદ-કુંદ કહાન પરિવાર યુવક મંડળ ટ્રસ્‍ટ-રાજકોટ દ્વારા શ્રી આદિનાથ દિગંબર જિન મંદિરમાં આયોજીત થવા જઇ રહેલ વેદિ-પ્રતિષ્‍ઠાના ત્રિ-દિવસીય આયોજનની મંગલ પત્રીકાની લેખન વિધિનો કાર્યક્રમ આગામી તા. ૯ ને રવિવારના રોજ યોજવામાં આવેલ છે.

આ વેદિ પ્રતિષ્‍ઠા તા. ર૬-૧૧ શનીવારથીતા. ર૮-૧૧ સોમવાર ત્રણ દિવસનો રહેશે.

શ્રી આદિનાથ દિગંબર જિન મંદિર ૧પ પંચનાથ પ્‍લોટ ખાતે મંગલ પત્રિકા લેખન વિધી કાર્યક્રમ અંતર્ગત તા. ૯ના રોજ સવારે ૭ થી ૭-૧પ  જિનેન્‍દ્ર અભિષેક, ૭-૧પ થી ૮-૧પ મંડળ વિધાન પૂજા, ૮-૧પ થી ૮-૩પ  ચા-નાસ્‍તો, ૮-૩પ થી ૯-૩પ પૂજય ગુરૂદેવશ્રીનું સીડી પ્રવચન તથા ૯-૩પ થી ૧૦-૪પ ડો. પ્રવિણભાઇ દોશીના ઘરેથી વાજતે-ગાજતે આમંત્રણ પત્રિકાનું સ્‍વાગત કરવામમં આવશે.

જયારે સવારે ૧૦-૪પ થી ૧૧ પ્રાસંગીક જાહેરાત, ૧૧ થી ૧૧-૧પ સ્‍વાગત ભકિત ગીત તથા ૧૧-૧પથી ૧ર-૩૦ પત્રીકા વાંચન તથા લેખનવિધિ કરાશે.

આ વેદિ પ્રતિષ્‍ઠાની આમંત્રણ  પત્રીકા લેખનવિધી બાદ દેશ-વિદેશના મુમુક્ષુ મંડળોને મોકલવામાં આવશે જેથી વધુમાં વધુ મુમુક્ષુ ગણ આ કાર્યક્રમનો લાભ લઇ ધન્‍યતા અનુભવશે.

(3:59 pm IST)