Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ઉત્તરકાશીના અકસ્માતમાં મૃતકોના દેહ રાજકોટ પહોંચ્યા:કાલે થશે અંતિમવિધિ :ભારે ગમગીની

એરપોર્ટ પર મોટીસંખ્યામાં પરિવારજનો જ્ઞાતિબંધુઓ ઉમટયા :ટાંક પરિવાર ભાંગી પડ્યો

 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટેલા રાજકોટના યાત્રિકોના મૃતદેહને મોડી સાંજે રાજકોટ લવાયા હતા. એરફોર્સના ખાસ વિમાન મારફતે રાજકોટ લવાયેલા મૃતદેહને લેવા માટે મોટી સંખ્યામાં કડીયા પરિવારજનો જ્ઞાતિ બંધુઓ અને લોકો એરપોર્ટ પર ઉમટી પડયા હતા. મૃતકોને કાલે અંતિમ વિધી કરવામાં આવશે. કરૂણ ઘટનાથી કડીયા સમાજમાં ઘેરી ગમગીની પ્રસરી ગઇ છે.

 રાજકોટમાં રહેતા ટાંક પરિવારને તેના સ્વજનોના કાયમ માટે વિદાય લઇ ચૂકેલા ચહેરાઓ જોવા મળ્યા હતા એરફોર્સ દ્વારા હવાઇ માર્ગે રાજકોટ લવાયેલી પોતાના સ્વજનોના મૃતદેહ આવતાની સાથે આક્રંદ જોવા મળ્યો હતો. જાણે આખાયે વાતાવરણમાં કરૂણતા આવી ગઇ હતી. એક પરિવારના સભ્યોની રીતે અણધારી વિદાયની કોઇએ કલ્પના પણ નહોતી કરી.

. એરફોર્સના વિમાન મારફતે લવાયેલી લાશને જોતા ટાંક પરિવાર ભાંગી પડ્યો હતો. સમયે એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.

(10:15 pm IST)