Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સૂર્યકાંત હોટલના સંચાલક અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના અગ્રણી ભૂપતભાઈ તલાટીયાને હૃદયરોગનો હુમલો

ડો. મિહીર તન્નાની હોસ્પિટલમાં એડમીટ : એન્જીયોપ્લાસ્ટી કરી બે સ્ટેન્ટ બેસાડાયા : ભુપતભાઈની તબિયત સ્થિર અને ભયમુકત : તેઓને હોસ્પિટલ લઈ જવાયા ત્યારે એટેક ચાલુ હતો

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના અગ્રણી અને વર્ષોથી ક્રિકેટ ક્ષેત્રે ખૂબ જ માનભર્યુ સ્થાન ધરાવતા શ્રી ભુપતભાઈ તલાટીયા ઉપર આજે સવારે હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેમને તાત્કાલીક ડો.મિહીર તન્નાની ઓલમ્પસ હોસ્પિટલ - વિદ્યાનગર મેઈન રોડ ખાતે ખસેડ્યા હતા. જયાં ચાલુ હાર્ટ એટેકે તેમના ઉપર સફળ એન્જીયોપ્લાસ્ટી કરી બેસ્ટેન્ટ બેસાડવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યારે બપોરે ૧૨ વાગ્યે તેમની સ્થિતિ સ્થિર અને ભયમુકત છે. ભુપતભાઈના હજારો ચાહકોમાં ઘેરી ચિંતાની લાગણી ફેલાયેલ છે.

ડો. મિહિર તન્નાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે તેમની મુખ્ય આર્ટરી ૧૦૦ ટકા બ્લોક થઈ ગયેલ તે ખોલી નાખી બે સ્ટેન્ટ મૂકયા છે. તેઓને હોસ્પિટલે લાવ્યા ત્યારે એટેક ચાલુ હતો.

રાજકોટની સુપ્રસિદ્ધ ગોંડલ રોડ ઉપર આવેલ સૂર્યકાંત હોટલના તેઓ સંચાલક છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના શ્રી નિરંજનભાઈ શાહ, એસસીએના મીડીયા મેનેજર શ્રી હિમાંશુભાઈ શાહ, શ્રી સુરૂભાઈ દોશી, શ્રી એ. ટી. શાહ સહિતના અગ્રણીઓ, શુભેચ્છકો, મિત્રો સતત સંપર્કમાં છે. શ્રી ભુપતભાઈ તલાટીયાની તબીયત સ્થિર અને ભયમુકત છે.(૩૭.૬)

(4:29 pm IST)