Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જિવંતિકાનગરમાં નવોઢા મિતલબેન રાઠોડનું બેભાન થઇ ગયા બાદ મોત

પોરબંદર માવતર ધરાવતાં સતવારા મહિલાના છ માસ પહેલા જ લગ્ન થયા હતાં

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામના જિવંતિકાનગરમાં રહેતાં સતવારા નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. છ માસ પહેલા જ આ મહિલાના લગ્ન થયા હતાં.

જાણવા મળ્યા મુજબ જિવંતિકાનગરમાં રહેતાં મિતલબેન વિજયભાઇ સતવારા (ઉ.૩૫) સાંજે સાતેક વાગ્યે ઘરે શ્વાસ ચડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં એએસઆઇ જયસુખભાઇ હુંબલે જરૂરી કાર્યવાહી કરી હતી.મિતલબેનના માવતર પોરબંદર રહે છે. તેણીના લગ્ન છ મહિના પહેલા જ વિજયભાઇ રાજાભાઇ રાઠોડ સાથે થયા હતાં. વિજયભાઇ પ્લમ્બીંગ કામની મજૂરી કરે છે. બંનેના આ પ્રથમ લગ્ન છે. વિજયભાઇના કહેવા મુજબ પત્નિને શ્વાસની તકલીફ હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(11:53 am IST)