Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

શહેરના વિવિધ પ્રશ્ને જનહિત યુવા મોરચા દ્વારા રજુઆત

રાજકોટ તા.૬: શહેરના રસ્તાઓ પર ખાડાઓ, પાણી અનિયમિતતા તથા સીટી બસ સહિતના પ્રશ્ને જનહિત યુવા મોરચા દ્વારા ડે.મેયરને લેખિત પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.આ અંગે જનહિત યુવા મોરચાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, શહેરના રસ્તાઓ પરના ખાડાઓ, પાણીની અનિયમિતતા તથા મવડી થી હોસ્પિટલ ચોક સુધીની સીટી બસ સેવા શરૂ કરવા સહિતની વિવિધ સમસ્યા હલ કરવા માંગ કરવામાં આવી છે. આ રજુઆતમાં જનહિત મોરચાના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મહેન્દ્ર આયલાણી ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ યશપાલસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રભારી ચંદ્રિકાબેન સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(4:51 pm IST)