Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

મહોરમમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન ઇન્દોરથી વાએજ ફરમાવશે

તા. ૧૨ થી ૨૦ મી સુધી દરરોજ લાભ મળશે : ૧૪ મીએ વડાપ્રધાનની ઉપસ્થિતી

રાજકોટ તા. ૬ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.સ.) મહોરમ માસ નિમિતે તા. ૧૨ થી ૨૦ સર્પ્ટેમ્બર સુધી ઇન્દોર મુકામે વાએઝ ફરમાવશે.

તા.૧૪ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પણ ઇન્દોરની શુભેચ્છા મુલાકાતે આવશે.

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજ  દ્વારા ઇમામ હુશેન તથા બોંતેર શહીદોની શહાદતની જીકરની વાએઝ તા. ૧૨ થી ૨૦ ગોઠવવામાં આવેલ છે. જેમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.સ.) ઇન્દોર મુકામે દરરોજ વાએજ ફરમાવશે. બે લાખથી વધુ લોકો વાએજનો લાભ લેશે.

તા.૧૪ ના કાર્યક્રમોનું લાઇવ ઓડીયો વિડીયો પ્રસારણ સીધુ ઇન્દોરથી કરાશે. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજ તેનો લાભ લઇ શકશે. તેમ રાજકોટના જોહરકાર્ડસવાળા યુસુફભાઇ (મો.૯૪૨૮૮ ૯૪૭૫૨) ની યાદીમાં જણાવાયુ છે.

(4:22 pm IST)