Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ત્રંબાના શામળાબાપા આશ્રમ ખાતે વિશ્વ શાંતિ માટે અતીરૃદ્ર મહાયજ્ઞઃ ૧૨૧ દંપતિઓ બાંધશે પૂણ્યનું ભાથું

રાજકોટઃ કસ્તુરબાધામ ત્રંબા ખાતે આવેલા શ્રીશામળાબાપા આશ્રમ ખાતે   વિશ્વ શાંતિ માટે ૧૨૧ અતીરૃદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨ થી ૬ ઓગષ્ટ સુધી ચાલનારા આ યજ્ઞમાં ૧૨૧ દંપતિઓએ બિરાજમાન થઇ પુણ્યનું ભાથું બાંધશે. પાંચ દિવસના આ ધર્મોત્સવમાં સવારે અને સાંજે દરરોજ આઠથી દસ હજાર લોકો મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. સંતશ્રી મોહનદાસ બાપાની ઉપસ્થિતિમાં કાર્યકરો સમગ્ર વ્યવસ્થા પણ ટ્રસ્ટી જગદીશભાઇની રાહબરીમાં જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ત્રંબાથી જી. એન. જાદવે જણાવ્યું હતું.

(8:08 pm IST)