Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલે મવડી ચોકડીએથી ધાર્મિક રેલી ધ્‍વજારોહણ

વીર દેવાયત બોદરની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી રેલીનો થશે પ્રારંભ, રામનાથ મહાદેવ મંદિરે સમાપનઃ રામનાથ યુવા ગ્રૃપનું આયોજન

રાજકોટઃ રામનાથ યુવા ગૃપ દ્વારા કાલે તા.૭ ને રવિવારે મવડી ચોકડી ખાતે વીર દેવાયત બોદરની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરી મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, ધમેન્‍દ્રસિંહ રાણા(પિન્‍ટુભાઇ) સહકાર ગૃપ-પ્રમુખ- હિન્‍દુધર્મસેના પ્રમુખ, સંજયભાઇ ખાંડેખા(જે માડી ગ્રૃપ),સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રૃપ) અશોકભાઇ બગથરીયા (અકીલા પ્રેસ), મેહુલભાઇ બોરીચા, કૈલાસભાઇ ખાદા, ભુપતભાઇ બસિયા,(યદુનંદન ગ્રૃપ) , જે.પી. જાડેજા (કરણી સેના), કૃષ્‍ણસિંહ જાડેજા(કરણી સેના), કપિલભાઇ પંડયા (જય રામનાથ ગૃપ), નારણકા ગૌ સેવક ગ્રૃપ, બેડીપરા ગૌ સેવક ગ્રૃપ, વિક્રમભાઇ શિયાળીયા (હિન્‍દુ ધર્મસેના- મહામંત્રી) સુરજભાઇ ડેર (સામાજીક અગ્રણી) મગનભાઇ સોરઠીયા (કોપોરેટર વોર્ડ નં.૧૨), સંજયસિંહ રાણા (કોર્પોરેટર વોર્ડ નં.૧૮) વિનુભાઇ સોરઠીયા (કોર્પોરેટર વોર્ડ નં-૧૧), નિલેશભાઇ ચૌહાણ એન.સી. (રામનાથ યુવા ગૃપ) યોગરાજસિંહ જાડેજા (વાવડી), તીર્થરાજસિંહ ગોહિલ (શુભમ ગૃપ) યોગેન્‍દ્રસિંહ રાણા (શકિતનગર), શેરવિદ્ય સ્‍માઇલ ગૃપ, સંવેદના ફાઉડેશન, રાજદિપસિંહ જાડેજા (રાજાભાઇ વાવડી)ᅠમહીપતભાઇ હુંબલ (કલ્‍પેશભાઇ લોબીલ, વિક્રમભાઇ અવાડીયા, સંજયભાઇ વીરડા, વિક્રમભાઇ વાંક, મેહુલભાઇ ડાંગર વગેરે આગેવાનો દ્વારા  રેલી સ્‍વરૂપે મવડી ચોકડીથી રામનાથ મહાદેવ મંદિર ખાતે વાજતે-ગાજતે ધ્‍વજા રોહણ કરવામાં આવશે.
 આ કાર્યક્રમને સફળ બનાવવા રામનાથ યુવા ગૃપ મવડી પ્‍લોટના રાજભા જાડેજા, (સહકાર ગૃપ) પાર્થરાજસિંહ સેલારા, અંકિતભાઇ ટીંબલીયા, અર્જુનભાઇ કિહોર, યોગેન્‍દ્રસિંહ જાડેજા, આશિષભાઇ મીર, આશિષભાઇ પ્રજાપતિ, કિશનભાઇ તુવેર, અકરીભાઇ ઝાપડા, તથા જય રામનાથ ગૃપ-મવડીના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:34 pm IST)