Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમી તહેવારમાં કતલખાના બંધ રાખવા : માંસ ,મટનના વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર સામે ધોરણસરની થશે કાર્યવાહી : મ્યુનિ, કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ : આગામી શ્રાવણ માસના સોમવાર નિમિતે તા.૦૯/૦૮/૨૦૨૧, તા.૧૬/૦૮/૨૦૨૧, તા.૨૩/૦૮/૨૦૧ તા.૦૬/૦૯૮ ૨૦૧ ની રોજ તથા  તા.૩૦/૦૮/૨૦૨૧ જન્માષ્ટમી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા રાજકોટ મ્યુનિ, કમિશનર અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે

 

(7:21 pm IST)