Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાતે યુવાનોને સૌથી વધુ નોકરી આપી : મંત્રી ઇશ્વરસિંહ પટેલનો દાવો

જીલ્લા વહીવટીતંત્ર દ્વારા રોજગાર દિવસની ઉજવણી : વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતી : ઉદ્યોગો પણ યુવાઓને સાથે લઇ આળ વધી રહ્યા છે : રોજગાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી યશભાગી

રાજકોટ,તા.૬ : ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે તે અવસરના અનુસંધાને આજે સવારે ૧૦.૦૦ વાગ્યાથી બે સ્થળોએ 'રોજગાર દિવસ' અંર્ગત લાભાર્થીઓને રોજગાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાલાવડ રોડ પર આત્મિય યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રાજકોટના  મેયર ડો. પ્રદિપ ડવ, ઉપરાંત જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર શ્રી આશિષ કુમાર, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. જયારે ગવર્નમેન્ટ પોલિટેકનિક, ભાવનગર રોડ, રાજકોટ ખાતેના આ કાર્યક્રમમાં ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રોજગાર પત્ર મેળવનાર લાભાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા એમ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સુશાનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહયા છે ત્યારે સરકાર દ્વારા આયોજિત નવ દિવસીય સેવા યજ્ઞમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહયા છે. અલગઅલગ દિવસે જુદીજુદી થીમ આધારિત વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવેલ છે, જેમાં આજે રોજગાર દિવસ અનુસંધાને ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ યુવા ભાઈબહેનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવી રહયા છે. ગુજરાત રાજયમાં સરકારે જુદાજુદા ક્ષેત્રોને વિકાસમાં આવરી લેવામાં આવેલ છે. જેના પરિણામે રાજયમાં આર્થિક વિકાસ પણ થઇ રહયો છે અને યુવા વર્ગ માટે નવી રોજગારીની તકોનું પણ સર્જન પણ થઇ રહયું છે. યુવાઓના વિકાસ થકી રાજયના વિકાસને વેગ મળશે.

રાજયના સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના મંત્રી  ઈશ્વરસિંહ પટેલે તેમના વકતવ્યમાં એમ જણાવ્યુ હતું કે, દેશમાં યુવાઓને સૌથી વધારે રોજગારી આપતું રાજય ગુજરાત છે. સરકારી વિભાગોની સાથોસાથ ઉદ્યોગો પણ યુવાનોને સાથે લઈને આગળ ધપી રહયા છે. આજે સમગ્ર ગુજરાતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એકસાથે ૫૧ સ્થળોએ ૫૦,૦૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોને રોજગારી પત્ર એનાયત કરવામાં આવી રહયા છે.

રોજગાર ક્ષેત્રે ગુજરાત રાજય અગ્રેસર રહયું છે તેનો યશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે. તેમ મંત્રીશ્રીએ જણાવેલ.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવે તેમના વકતવ્યમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર સૌના સાથ થકી સૌના વિકાસનું વિચારીને રાજયને આગળ લઈ જઈ રહી છે.

ગુજરાતમાં કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર યુવા વર્ગને રોજગારી મળી રહી છે. માત્ર એટલું જ નહી, મુદ્રા લોન યોજનામાં યુવાઓને લોન આપવામાં સરકાર ગેરેન્ટર બને છે. કોલેજના છાત્રોને નમો ટેબ્લેટ, સ્કોલરશીપ વગેરે જેવી સુવિધાઓ સરકાર તરફથી મળી રહી છે. છાત્રો પીએચ.ડી. થાય તેની પણ સરકાર ચિંતા કરે છે. વિદેશની કંપનીઓને ગુજરાતમાં લાવવાનો ઉદ્દેશ રાજયના યુવા વર્ગને રોજગારી અને પ્રગતિનો છે. તેમ મેયરશ્રી આ તકે જણાવેલ.

(3:14 pm IST)