Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કાગદડીમાં પૂર અસરગ્રસ્તોને માત્ર ૭ દિ'માં સહાય : જેપુર ગામમાં આંગણવાડી લોકાર્પણ

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખની ઝડપી કામગીરીથી રાહત : વીરપુરમાં જલાબાપા અને ગાયત્રી માતાજીના દર્શન કરતા ભૂપત બોદર

રાજકોટ તા. ૬ : રાજકોટ તાલુકામાં તારીખ ૨૫/૦૭/૨૦૨૧ના કાગદડી ગામમાં અતિભારે વરસાદ પડેલ જેમાં માલધારીઓના પશુઓના મરણ થયેલ જેના અનુસંધાને જરૂરી સૂચનાઓ આપી સર્વે કામગીરી તથા જરૂરી કાર્યવાહી યુધ્ધના ધોરણે કરાવી જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે તાત્કાલિક સહાય મંજુર કરવી હતી અને જિલ્લા સદસ્ય સંજયભાઈ રંગાણી, કાગદડી સરપંચ દેવ કોરડીયા, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, ઉપસરપંચશ્રી જગદીશભાઈ, પંચાયત સભ્યો તથા ગ્રામજનોની હાજરીમાં મેરાભાઇ વજાભાઇ બાંભવાને રૂપિયા ૬૦,૦૦૦ ઓઘડભાઈ સગરામભાઈ બાંભવાને રૂપિયા ૩૦,૦૦૦ તથા જેઓની ભેસ, ઘેટા-બકરાના મરણ થયેલ તેઓ પ્રત્યેકને રૂપિયા ૬,૦૦૦ના ચેક આપવામાં આવ્યા હતા.

ઉપરાંત તારીખ ૦૪/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર રાજયમાં 'નારી ગૌરવ દિવસ'ની ઉજવણી નિમિત્તે રાજકોટ જીલ્લાની વીરપુર સીટના જેપુર ગામે મનરેગા અંતર્ગત નવી બનેલ આંગણવાડીનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર તથા વીરપુર જિલ્લા પંચાયત સીટના સભ્ય અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ સમિતિના સભ્ય  અશ્વિનાબેન ડોબરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં જેપુર ગામના આંગણવાડી કેન્દ્ર નં.- ૨ની લોકાર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,  વેલજીભાઈ સરવૈયા, પ્રમુખ જેતપુર તાલુકા ભાજપ તેમજ જનકભાઈ ડોબરિયા, પૂર્વ આરોગ્ય ચેરમેન અને સરપંચ ચંદુભાઈ તથા અન્ય તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર  હીનાબેન લશ્કરી ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી લોક ઉપયોગી યોજનાઓ વિષે લોકોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત આઈ.સી.ડી.એસ.ના બાળકોને સુખડી વિતરણ કરેલ તથા વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને તેમના હસ્તકે સીધોજ લાભ અપાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ બાદ વીરપુર ગામ ખાતે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદર શ્રી જલારામ બાપાના દર્શને આવેલ તેમજ તેમની સાથે રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, પૂર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયા, જેતપુર ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, જેતપુર તાલુકા પંચાયત સદસ્ય  રાજુભાઈ બારૈયા તેમજ વીરપુર શ્રી ગાયત્રી ટ્રસ્ટ અને મુકિત ધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયાએ સાથે રહી દર્શન કરી લોકોની સુખાકારી માટે આશીર્વાદ મેળવ્યા હતા.

(3:10 pm IST)