Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાર્ટે ટાઇમ સફાઇ કામદાર ભરતીનાં નિયમમાં સુધારોઃ સફળ રજુઆત

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા પાર્ટ ટાઇમ સફાઇ કામદાર ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આંબો, પોલીસ રિપોર્ટ, ડોમીસાઇલ સર્ટીફીકેટ, કોર્પોરેટરનો દાખલો સહીતના વિવિધ પ્રશ્ને અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર ટ્રેડ યુનિયન દ્વારા મેયર, ડે. કમિશ્નર સહીતના અધિકારીઓ-પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત બાદ તંત્ર દ્વારા વિવિધ જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂ.૩૦૦ના બદલે પ૦ રૂ.ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામુ આપવા નિયમોના સુધારો કરવામાં આવ્યો છે. આમ સંસ્થાની રજુઆતને સફળતા મળતા અખિલ વાલ્મીકી સમાજ સફાઇ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયનના પ્રમુખ મનોજભાઇ ટીમાણીયા મંત્રી કમલેશભાઇ વાઘેલા, મહેન્દ્રભાઇ વાઘેલા, શૈલેષભાઇ વાઘેલા, કલ્પેશભાઇ શીંગાળા તેમજ રાજકોટ શહેર વાલ્મીકી સમાજના એડવોકેટ વકીલ સંજયભાઇ શામજીભાઇ નારોલાએ પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(4:41 pm IST)