Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રામ જન્મભૂમિ શિલાન્યાસની ઘડીએ રાજકોટના રણછોડદાસજી બાપુના આશ્રમે પણ પૂજા અર્ચના

રાજકોટ : ભગવાન શ્રી રામ લલ્લાની જન્મભુમિ પર શિલાન્યાસના મંગલ અવસરની ઘડીએ રાજકોટ ખાતેના શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમે પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરને ફુલ અને રોશનીથી શણગારવામાં આવેલ. સવારે ૧૧.૦૭ મીનીટે શ્રી રામચંદ્રભગવાન સ્વરૂપ પૂ. સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુનું શ્રી રામરક્ષાસ્તોત્ર તથા શ્રી રામસ્તવરાજ પાઠ સાથે એક એક ગુલાબની પુષ્પાંજલીઓ સાથે પૂજન કરાયુ હતુ. આ પૂજનનો લાભ પ્રવિણભાઇ વસાણી, પ્રફુલ્લાબેન પ્રવિણભાઇ વસાણી, તનિષ્કભાઇ વસાણીએ લીધો હતો. પૂજન બાદ ગુરૂદેવની મહાઆરતી દીપમાળા સાથે કરવામાં આવી હતી. શ્રીરામચરિત માનસજીના અખંડ પાઠથી વાતાવરણ ધર્મમય બની ગયુ હતુ. આમ પાઠ-પૂજા સાથે રાજકોટનો સદ્દગુરૂ આશ્રમ પણ અયોધ્યાના શિલાન્યાસ અવસરમાં સહભાગી બન્યો હતો.

(4:31 pm IST)