Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ એચ. એમ. ગઢવી અને તમામ ૮ પરિવારજનોના કોરોના રિપોર્ટ નેગેટિવઃ પીઆઇ પ્લાઝમા ડોનેટ કરશે

રાજકોટ તા. ૬: શહેરની ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ શ્રી હિતેષદાન એમ. ગઢવી (મોે. ૯૯૧૩૬ ૮૭૫૦૦) તથા તેમના પરિવારના આઠ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતાં. સિનર્જી હોસ્પિટલના ડો. ડોબરીયા અને તેમની ટીમની સઘન સારવાર બાદ આજે ૧૪ દિવસ પછી તમામ સભ્યો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તમામના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર થયા છે. પીઆઇ શ્રી એચ.એમ. ગઢવી, તેમના મોટા ભાઇ જયરાજભાઇ એમ. ગઢવી, માતુશ્રી રમાબેન માધુભાઇ ગઢવી, ભાભી જયશ્રીબેન જયરાજભાઇ, બહેન નીતાબેન, ભત્રીજા કરણ જયરાજભાઇ, પાર્થ જયરાજભાઇ, ભત્રીજી કૃપા જયરાજભાઇ એમ કુલ ૯ સભ્યો કોરોના સંક્રમિત થયા હતાં. શ્રી હિતેષદાન ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ પોતે જરૂરીયાત મુજબ પ્લાઝમા પણ ડોનેટ કરશે. તમામ પરિવારજનો કોરોના મુકત થઇ જતાં બહોળી સંખ્યામાં સ્નહીજનો, મિત્રવર્તુળો, અધિકારી વર્ગ અને સાથી કર્મચારીઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:24 pm IST)