Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભાજપ કાર્યાલય દિવડાઓની ઝળહળી ઉઠયુ

રામ જન્મભુમિ પર શિલાન્યાસની અલૌકિક ઘડીએ

રાજકોટ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શિલાન્યાસની અલૌકિક ઘડીએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પણ દીવડાઓથી ઝગમગી ઉઠયુ હતુ. રામધૂન અને ભજનની રમઝટ સાથે ધાર્મિક ઉત્સવ જેવું વાતાવરણ બની રહેલ.  મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિક્રમ પુજારા, વંદનાબેન ભારદ્વાજ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, દલસુખ જાગાણી, રાજન ઠકકર, વિજય મેર, પી. નલારીયન, રાજ ધામેલીયા, ભરતસિંહ જાડેજા, નીલેશ ખુંટ, મનોજભાઇ સહીતના આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(2:51 pm IST)