Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ફુડ લાયસન્સ વગર કેળા પકાવનાર વેપારીને નોટીસ અપાઇ

રાજકોટ તા.૬ : મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા મોરબી રોડ પર સ્થિત જનતા કેળા ભંડારમાં ચેકિંગ કરેલ અને આ ધંધાર્થી દ્વારા ફુડ લાઇસન્સ વગર ધંધો કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળતા તેને નોટીસ આપવામાં આવેલ છે. જનતા કેળા ભંડારમાં ઇથીલીન ગેસથી કેળા પકવવામાં આવતા હતા. વેપારી એફ.એસ.એસ.એ.આઇ. માન્યતા ધરાવે છે.  આ સ્થળે ૧૦૦૦ કિલો કેળાનો જથ્થો હતો તમામ જથ્થામાંથી પાંચ સેમ્પલ લઇને તેન એનાલિસિસ માટે મોકલવામાં આવેલ છે. કોર્પોરેશનના ફુડ વિભાગની કાર્યવાહી.

(3:50 pm IST)