Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભાજપ દ્વારા ડો.મુખરજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટઃ જનસંઘના સ્‍થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્‍ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્‍ટ્રભકત ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીના જન્‍મદિવસ અંતર્ગત શહેર ભાજપ કમલેશ મિરાણીની આગેવાનીમાં ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પ્રતિમા, આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ઉદય કાનગડ, ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ડો.દર્શીતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, વિનુભાઇ ઘવા, રાજુભાઇ બોરીચા સહિતના સાથે બહોળી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:53 pm IST)