Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

શ્‍યામાપ્રસાદ મુખર્જીની જન્‍મજયંતિ પ્રસંગે મનપાના પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી

રાજકોટઃ  મહાનગરપાલિકા દ્વારા આજરોજ શ્‍યામાપ્રસાદ મુખર્જીની ૧૨૧મી જન્‍મ જયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર મનિષભાઈ રાડિયા, અશ્વિનભાઈ પાંભર, વિનુભાઈ સોરઠીયા, નીતિનભાઈ રામાણી, રણજીતભાઈ સાગઠિયા, દિલીપભાઈ લુણાગરીયા, પરેશભાઈ પીપળીયા, સુરેશભાઈ વસોયા, નિલેશભાઈ જલુ, ભાનુબેન બાબરીયા, અસ્‍મિતાબેન દેલવાડીયા, રૂચિતાબેન જોશી, વર્ષાબેન રાણપરા, નયનાબેન પેઢડીયા, મિતલબેન લાઠીયા, કંચનબેન સિધ્‍ધપુરા, જયોત્‍સનાબેન ટીલાળા, કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુગશિયા, દેવુબેન જાદવ, દક્ષાબેન વાઘેલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:51 pm IST)