Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

લતાદીદીના ગીતો ગુંજશે

તુમ મુજે યુ ભુલા ના પાઓગે... : ૧૭મીએ કાર્યક્રમ : ફટાફટ ટીકીટો વેચાતી હોય હવે મનગમતી સીટ મેળવી લેજો : શો ની ટીકીટ તેમજ વધુ માહિતી માટે મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮

રાજકોટ : શહેર સમળદ્ધ, રંગીન અને પરંપરાગત છે, બહુસાંસ્‍કળતિક વિવિધતા સાથે પરિપક્‍વ છે.રાજ્‍યનું ચોથું સૌથી મોટું શહેર, અસંખ્‍ય ઉત્‍સવો અહીં આત્‍મવિશ્વાસ સાથે ઉજવવામાં આવે છે. એક એવી જગ્‍યા જે કુશળતાપૂર્વક પરંપરા સાથે આધુનિકતાની મિશ્રણ કરે છે. રાજકોટ શહેરના લોકો વિવિધ ધર્મો અને સંસ્‍કળતિઓ સાથે સંકળાયેલા છે તેમ છતાં,  વિવિધ મૂળના હોવા છતાં, તેઓ એક સમુદાય તરીકે શાંતિથી અને કાર્યરત રહે છે.  રાજકોટના લોકોનો મિજાજ બદલાતી મોસમ અને આવનારા  તહેવારોની સાથે બદલાય છે. માટે જ સાંસ્‍કળતિક કાર્યક્રમોના અનેક આયોજકો હવે રાજકોટને કૈક સારૂં, અવનવું, અર્થસભર આપવું પડશે તે વાત સાથે કૈક નવું લાવવા કાર્યરત થયા છે .

આવું જ એક ગ્રુપ છે ઓલ ઇન્‍ડિયા ઇવેન્‍ટ-ઓલ બોલિવૂડ સ્‍ટાર્સ. કે જે ભારત સહીત અન્‍ય કેટકેટલાંયે દેશોમાં ગુજરાતી , હિન્‍દી , અંગ્રેજી ઈવેન્‍ટ્‍સ કરતુ રહે છે. મોટા ભાગે તેઓ બોલિવૂડ સ્‍ટાર્સને લઇને ખુબ મોટા સ્‍કેલના કાર્યક્રમો આયોજન કરે છે. પરંતુ આ વખતે રાજકોટની સાહિત્‍યિક કાર્યક્રમોની ભૂખ અને સારા સાહિત્‍ય અને સાંસ્‍કળતિક કાર્યક્રમો તરફ પ્રગતિશીલ વિચારસરણીને ધ્‍યાનમાં રાખીને આ ગ્રુપ રાજકોટ માં આયોજન કરવા જઈ રહ્યું છે એક એવો કાર્યક્રમ જે રાજકોટ માં થતી ઈવેન્‍ટ્‍સ થી સાવ નોખો તારી આવશે . કાર્યક્રમનું નામ છે તુમ મુજે યું ભૂલના પાઓંગે ..... આ કાર્યક્રમ આપણા સહુના લાડીલા , સ્‍વરસામ્રાજ્ઞિ , ભારત રત્‍ન શ્રી લતા મંગેશકરને સ્‍વરાંજલિ આપવા માટે થઇ રહ્યો છે. વળી આ કાર્યક્રમ માં કોઈ ઓછા જાણીતા કલાકારો નહિ બલ્‍કે બોલિવૂડ પ્‍લેબેક સિંગર અન્‍વેષા દત્તા ગુપ્તા પોતે પર્ફોર્મ કરવાના છે.

ચાહે કોઈ પણ ઈમોશન હોય, કોઈ પણ અભિવ્‍યકતી હોય, લતા દીદીના ગીતો જાણે  અભિવ્‍યક્‍તિના રામબાણ માધ્‍યમ છે અને રહેશે. કંઈ - કેટલીયે પેઢીઓ લતાદીદીના ગીતો થી પ્રભાવિત રહી છે અને રહેશે. રાજકોટમાં મ્‍યુઝિકલ કાર્યક્રમો તો ઘણા થાય છે પરંતુ આવા ઓથેન્‍ટિક બોલિવૂડ સિંગર દ્વારા સદાબહાર ગીતો ગવાતા હોય અને રાજકોટની પ્રજા માણવાના ઉમટે તો જ નવાઈ. કેટલાક અર્થસભર - ઓફબીટ નાટકો અને ગુજરાત્રિની પરંપરા મુજબના હટકે કાર્યક્રમો માણવા રાજકોટ તો ઠીક અન્‍ય ગામો અને શહેરો માંથી લોકો આવતા હોય તેવા ઉદાહરણો છે. તો પછી આ વખતે રાહ શાની જુઓ છો રાજકોટ ? ટિકિટ લીધી કે નહિ?

‘ઓલ ઇન્‍ડિયા ઇવેન્‍ટ-ઓલ બોલિવૂડ સ્‍ટાર્સ' આયોજિત આ મ્‍યુઝિકલ કાર્યક્રમ સ્‍વર સામ્રાજ્ઞી, ભારત રત્‍ન શ્રી લતા મંગેશકરને શ્રદ્ધા સુમન અર્પવા માટે છે. કાર્યક્રમનું નામ પણ એવું છે કે આપણે ભૂલી ના શકાય ‘તુમ મુજે યું  ભૂલ ના પાઓગે....'

કાર્યક્રમની વધુ વિગતો માટે મો. ૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરી શકાય છે. કાર્યક્રમને ભરપૂર માણવા વહેલી ટિકિટ બુક કરાવી લેવાની સલાહ છે નહિ તો મનગમતી સીટ નહિ મળે. તો મળીયે છીએ રાજકોટ ‘તુમ મુજે યુ ભૂલ ના પાઓંગે'માં કાર્યક્રમમાં સ્‍પોન્‍સરશિપ તરીકે સહયોગી થવા માટે મો. ૯૮૯૨૬૨૫૭૬૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. 

(3:20 pm IST)