Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ભાજપ દ્વારા તમામ વોર્ડમાં મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. શહેર ભાજપના અપેક્ષિત શ્રેણીના અગ્રણીઓ દ્વારા ગુરૂપૂર્ણિમા અંતર્ગત શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો - આશ્રમોમાં કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચૂસ્ત પાલન કરીને ભાવ અને ભકિતસભર ગુરૂપૂજનના કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, લાખાભાઈ સાગઠીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઈ બોરીચા સહિતના અગ્રણીઓએ જે - તે મંદિર-આશ્રમોમાં સંતો-મહંતોને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

(3:52 pm IST)