Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સિતારામનગરમાં ૧૫ વર્ષની રસિલાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

પિતા રૂમમાં ગયા તો દિકરી લટકતી મળીઃ દેવીપૂજક પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ સિતારામ નગરમાં રહેતી ૧૫ વર્ષની દેવીપૂજક તરૂણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રસિલા વશરામભાઇ વારૈયા (ઉ.૧૫)એ ગઇ કાલે સાંજે છએક વાગ્યે પોતાના ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળફાંસો ખાઇ લીધો હતો. બીજા રૂમમાં સુતેલા પિતા વશરામભાઇ રસિલા જ્યાં હતી એ રૂમમાં ગયા ત્યારે તે લટકતી જોવા મળતાં દેકારો મચી ગયો હતો. ઘરના બીજા સભ્યો, પડોશીઓ ભેગા થઇ જતાં રસિલાને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે   જાણ કરતાં થોરાળાના પીએસઆઇ જે. જી. ચોૈધરીએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રસિલા ચાર બહેન અને એક ભાઇમાં સોૈથી નાની હતી. તેના પિતા ફ્રુટનો ધંધો કરે છે. માતાનું નામ મંગુબેન છે. દિકરીના આ પગલાથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

(12:27 pm IST)