Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્યશ્રીઓનું સન્માન

રાજકોટ શહેર આચાર્ય સંઘ દ્વારા શહેરની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના નિવૃત્ત આચાર્યશ્રીઓનો સન્માન સમારોહ તાજેતરમાં ગોઠવવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન રાજકોટ પૂર્વના બ્રહ્માકુમારી પુ. કિંજલદીદી તથા શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઇ પંડયા, મહામંત્રી અશોકભાઇ બાણુગારીયાના હસ્તે કરાયુ હતુ. પ્રમુખશ્રીના સ્વાગત પ્રવચન અને મહામંત્રીએ રજુ કરેલ અહેવાલ બાદ શહેરની મિરામ્બીકા કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી હર્ષાબા જાડેજા, પારસમણી વિદ્યાલયના આચાર્યશ્રી રસીકભાઇ નિમાવત, અમથીબા વિદ્યાલયના આચાર્યશ્રી અરવિંદભાઇ પટેલ, કડવીબાઇ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી સોનલબેન શાહનું પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢોડા તથા બુકે અર્પણ કરી પૂ. કિંજલદીદી અને ઘડક સંઘના હોદેદારોના હસ્તે સન્માન કરાયુ હતુ.

(12:26 pm IST)