Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 3 મોત

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 3 પૈકી એક પણ કોવીડ ડેથ નહિં

રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 3નો ભોગ લીધો છે . 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .5નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.6સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 3 દર્દીઓના મોત નિપજ્યા હતા .

ગઇકાલે 3 પૈકી એકપણ મૃત્યુ કોરોનાને કારણે ન થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.

શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 5167 બેડ ઉપલબ્ધ છે.

(9:47 pm IST)