Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

શાસ્ત્રી મેદાનમાં પાર્ક કરેલી ખાનગી ટ્રાવેલ્સની બે બસમાં આગઃ લાખોનું નુકસાન

આગમાં લકઝરી બસ સંપૂર્ણ ખાક થઈ ગઈઃ મીનીબસ પણ આગની લપેટમાં

રાજકોટઃ શાસ્ત્રી મેદાનમાં પાર્ક કરેલી ગુજરાત ટ્રાવેલ્સની બે બસમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. હર્ષદભાઈ નામના રાહદારીએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. લોકડાઉનના કારણે બે માસથી આ ટ્રાવેલ્સની લકઝરી બસ જીજે ૧ ડીવી ૮૯૫ અને બાજુમાં પાર્ક કરેલી જીજે ૩ એટી ૬૦૮૪ નંબરની મીનીબસ બંધ હાલતમાં પડી હતી. આજે બપોરે લકઝરી બસમાં એકાએક આગ લાગતા બસના કાચ ફૂટી ગયા હતા અને સીટો, ઈન્ટીરીયર, ટીવી, વાયરીંગ સહિત સંપૂર્ણ સળગી ગયા હતા. તેમજ બાજુમાં પડેલી મીનીબસ પણ આગની લપેટમાં આવી જતા તેમા કાચ તથા કેટલીક સીટ અને કલર સળગી ગયો હતો. બનાવની જાણ થતા ટ્રાવેલ્સની ઓફિસના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ટ્રાવેલ્સના સંચાલકને જાણ કરી હતી. આગ કયા કારણોસર લાગી ? તે જાણવા માટે તપાસ થઈ રહી છે અને તેમા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે.

(3:27 pm IST)