Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રીય પરિવાર દ્વારા મહારાણા પ્રતાપને પુષ્પાંજલી

રાજકોટઃ આજે મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ જેઠ સુદ-૩ ગુરૂવાર તા.૬-૬-૧૯ના રોજ રાજકોટ ખાતે તેમની ભવ્ય પ્રતિમાને શ્રધ્ધાપુર્વક પુષ્પાંજલી અર્પણ કરી કૃતજ્ઞતા  વ્યકત કરવામાં આવી હતી. ઓમ શ્રી કૃષ્ણ વૈશ્વિક ક્ષત્રીય પરીવારના ડો.યોગરાજસિંહ જાડેજા, શ્રી શ્રી રવિશંકર એકેડેમીના ભુપેન્દ્રસિંહ વાઘેલા સહિતના ક્ષત્રીય યુવા મિત્રોએ વિશ્વવીર મહારાણા પ્રતાપની શૌર્યગાથાને યાદ ભાવભીની પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(4:15 pm IST)