Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અમરનગરના ભજનીક વિષ્ણુપ્રસાદ દવેનું સુરતમાં સન્માન

રાજકોટ : અમરનગર ગ્રામ સેવા મંડળના પ્રમુખ વેલજીભાઇ વાડોદરીયા તથા ઉપપ્રમુખ દ્વારા સોરઠી ગાયક ભજનીક વિષ્ણુપ્રસાદ દવેનો સન્માન સમારોહ ગોઠવાયો હતો. પ્રસાદજીની ભજન યાત્રા, દેશ વિદેશમાં કરેલા સંતવાણી અને છેલ્લા ૪૫ છર્ષથી રેડિયો પર પ્રાચીન ભજનોની રજુઆતોને ધ્યાને લઇ આ કાર્યક્રમ યોજાયો હતો. સાઇરામ દવેના પિતાશ્રી એવા આ કલાકારે ખુબ સંઘર્ષ કર્યો છે. તેની કેટલીક વાતો તેણે સ્ટેજ ઉપરથી રજુ કરી હતી. ગામના લોકોએ યાદ કર્યા તે બદલ અહોભાવ વ્યકત કરેલ. પ્રમુખ દ્વારા શાલ, ફુલહાર કરી તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવ્યું હતું મનુભાઇ વસોયા, વિપુલ સાવલિયા, જીવરાજ કયાડા, નાગજી કોટડીયા, પ્રવીણભાઇ પટેલ તથા વિવિધ  ક્ષેત્રના અગ્રણીઓના પણ સન્માન થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રસિકભાઇ સોલંકીએ કર્યુ હતું.

(4:11 pm IST)