Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મવડી ચોકડીએ દેવાયત બોદરની પ્રતિમા મુકાશે : રવિવારે મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ

પદાધિકારીઓ અને આહિર સમાજના આગેવાનો વચ્ચે મીટીંગ યોજાઇ

રાજકોટ તા. ૬ : આહીર સપૂત શ્રી દેવાયત બોદર સેવા સમાજ રાજકોટ સંસ્થાના હોદેદારો દ્વારા આહીર સમાજમાં જેમનું નામ છે, અને જે-તે સમયના રાજાશાહીના સમયમાં જેમનું ખુબજ યોગદાન રહેલું છે એવા આહીર સમાજના વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમા મુકવા રજૂઆત અંગે રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષ દ્વારા દેવાયત બોદરની પ્રતિમા મુકવાની ઠરાવ કરી મંજુર કરવામાં આવેલ છે.

આગામી તા.૧૦ જૂનના રોજ મવડી ચોકડી પાસે વીર સપૂત શ્રી દેવાયત બોદર અનાવરણ વિધિ રાજયના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવાનું નક્કી કરાયેલ છે, જેના અનુસંધાને આજરોજ મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને આહીર સમાજના અગ્રણીઓ સાથે મીટીંગ મળેલ. આ મીટીંગમાં પુર્વ મેયર ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના જયમીનભાઇ ઠાકર તેમજ આહીર સમાજના કોર્પોરેટરશ્રીઓ, તથા અગ્રણી રાજુભાઈ બોરીચા, હરિભાઈ ડાંગર, બાબુભાઈ આહીર મકવાણા, જે.ડી. ડાંગર, પરેશભાઈ હુંબલ, નિલેશભાઈ જલુ, વિજયભાઈ વાંક,  પ્રભાતભાઈ ડાંગર, શૈલેષભાઈ ડાંગર,બાળાભાઈ, નીર્મલભાઈ મહેતા, ભરતભાઈ બોરીચા, સુરજભાઈ ડેર, હિરેનભાઈ ખીમાણીયા, ચાવડા હરેશભાઈ, વરજાંગભાઈ હુંબલ, ડાંગર તુલસીભાઈ, દિલીપભાઈ બોરીચા, વિપુલભાઈ માખેલા, જેઠસુરભાઈ ગુજરીયા, મોહનભાઈ માલા, તેમજ આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:20 pm IST)