Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સ્વ. નંદલાલભાઈ ખીરૈયાની રાજકોટથી વિદાય વેળાની રેલવે સ્ટેશન પરની અંતિમ તસ્વીર સંભારણુ બની ગઈ

રાજકોટઃ. વિમલ સિલેકશન ધર્મેન્દ્ર રોડવાળા જાણીતા વેપારી શ્રી નંદલાલભાઈ ખીરૈયા હરિદ્વારમાં ગંગાસ્નાન વખતે પાણીમાં તણાઈ જતા અક્ષરનિવાસી થયા છે. તેમણે હરિદ્વાર જવા ગઈ તા. ૨૫ મે એ રાજકોટ રેલવે સ્ટેશન પરથી પ્રસ્થાન કર્યુ તે વખતે પૌત્રી ભકિત વિમલભાઈ ખીરૈયાને વ્હાલ કરતો ફોટો પડાવ્યો હતો. તે વખતે કોઈને કલ્પના નહોતી કે આ તસ્વીર તેમના જીવનની અંતિમ તસ્વીર થઈ જશે. પતિ નંદલાલભાઈ સાથે સજોડે યાત્રાએ ગયેલા સુધાબેને એકલા પાછા આવવું પડતા સમગ્ર ખીરૈયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.(ખીરૈયા પરિવારનો સંપર્ક નં. ૯૯૯૮૮ ૬૦૬૫૬-રાજકોટ)

(3:41 pm IST)